નવી દિલ્હી, 24 સપ્ટેમ્બરઃ Tirupati Prasad Controversy: છેલ્લા કેટલાય સમયથી તિરુપતિના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરના પ્રસાદમાં ઉપયોગમાં લેવાતા ઘીમાં ભેળસેળનો વિવાદ સતત વકરી રહ્યો છે. હવે આ તિરુપતિ લાડુ વિવાદ પર બે દિગ્ગજ એક્ટરો આમને-સામને આવી ગયા છે અને તેમની વચ્ચે શબ્દ યુદ્ધ છેડાઈ ગયું છે. વાત એમ છે કે, તિરુપતિ મંદિર પ્રસાદ મામલે 11 દિવસનું ‘પ્રાયશ્ચિત’ કરી રહેલા આંધ્ર પ્રદેશના ડેપ્યુટી સીએમ અને એક્ટર પવન કલ્યાણની જાણીતા અભિનેતા પ્રકાશ રાજે ટિપ્પણી કરી છે.
ઉલ્લેખનીય છે કે, તિરુપતિ મંદિરના પ્રસાદમાં વપરાતા ઘીમાં ભેળસેળનો મામલો સામે આવ્યા બાદ પવન કલ્યાણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી, તો એક્ટર પ્રકાશ રાજે તેમની વાતોને ક્રિટિસાઈઝ કરી હતી. આ મુદ્દે પવન કલ્યાણે પણ આકરી પ્રતિક્રિયા આપી છે.
पिछली सरकार के कार्यकाल दौरान, तिरुपति बालाजी प्रसाद में पशु मेद (मछली का तेल, सूअर की चर्बी और बीफ़ वसा) मिलाए जाने की बात के संज्ञान में आने से हम सभी अत्यंत विक्षुब्ध हैं। तत्कालीन वाईसीपी (YCP) सरकार द्वारा गठित टीटीडी (TTD) बोर्ड को कई सवालों के जवाब देने होंगे! इस सन्दर्भ… https://t.co/SA4DCPZDHy
— Pawan Kalyan (@PawanKalyan) September 20, 2024
આ મામલો સામે આવ્યા બાદ પવન કલ્યાણે કહ્યું હતું કે હું આનાથી ખૂબ જ દુ:ખી છું. પોતાની પોસ્ટમાં તેમણે આગળ લખ્યું કે કદાચ હવે રાષ્ટ્રીય સ્તરે એક ‘સનાતન ધર્મ રક્ષા બોર્ડ’ બનાવવાનો સમય આવી ગયો છે જે સમગ્ર ભારતમાં મંદિરો સાથે સંબંધિત મુદ્દા પર નજર રાખશે.
Dear @PawanKalyan …It has happened in a state where you are a DCM .. Please Investigate ..Find out the Culprits and take stringent action. Why are you spreading apprehensions and blowing up the issue Nationally … We have enough Communal tensions in the Country. (Thanks to your… https://t.co/SasAjeQV4l
— Prakash Raj (@prakashraaj) September 20, 2024
પવન કલ્યાણની આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા દિગ્ગજ એક્ટર પ્રકાશ રાજે પર લખ્યું કે, ‘ડિયર પવન આ ઘટના એ રાજ્યમાં બની છે જ્યાં તમે ડેપ્યુટી સીએમ છો. કૃપા કરીને તપાસ કરો, દોષીઓને શોધો અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરો. તમે આ મુદ્દાને સેન્સેશનલ કેમ બનાવી રહ્યા છો અને તેને રાષ્ટ્રીય સ્તરે કેમ મોટો બનાવવામા માગો છો? દેશમાં પહેલાથી જ ઘણો સાંપ્રદાયિક તણાવ (કેન્દ્રમાં બેઠેલા તમારા મિત્રોની કૃપાથી) છે.’
हमारी संस्कृति, आस्था, विश्वास और श्रद्धा की धर्मधुरी, श्री तिरुपति बालाजी धाम के प्रसाद में, कुत्सित प्रयासों के तहत, जो अपवित्रता का, संचार करने की कोशिश की गई, उससे मैं व्यक्तिगत स्तर पर, अत्यंत मर्माहत हूँ, और सच कहूं तो, अंदर से अत्यंत छला गया, महसूस कर रहा हूँ। प्रभु…
— Pawan Kalyan (@PawanKalyan) September 21, 2024
પ્રકાશ રાજની વાતનો જવાબ આપતા હવે પવન કલ્યાણે કહ્યું કે, ‘હું હિન્દુત્વની પવિત્રતા અને ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અંગે બોલી રહ્યો છું. મારે આ મામલે કેમ ન બોલવું જોઈએ? હું તમારું સમ્માન કરું છું પ્રકાશ રાજ, અને વાત જ્યારે બિનસાંપ્રદાયિકતાની આવે છે તો તે પરસ્પર હોવી જોઈએ. મને નથી સમજાઈ રહ્યું કે, તમે મારી ટીકા કેમ કરી રહ્યા છો? શું હું સનાતન ધર્મ પર હુમલા અંગે ન બોલી શકું? તમારે કંઈક શીખવું જોઈએ. ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ કે કોઈએ પણ આ મુદ્દાને હળવાશથી ન લેવો જોઈએ. હું સનાતન ધર્મને લઈને ખૂબ જ ગંભીર છું.’
પવન કલ્યાણ આટલેથી ના અટક્યા. તેમણે કહ્યું કે, ‘મારા માટે સનાતન ધર્મ સૌથી મહત્ત્વની બાબત છે. આ મામલે તમામ હિન્દુએ જવાબદારી લેવી જોઈએ. જો કોઈ બીજા ધર્મમાં આવું થયું હોત તો મોટું આંદોલન થઈ ગયું હોત.’

