બાંગ્લાદેશમાં હિંસાના કારણે સ્થિતિ સતત ખરાબ થઇ રહી છે. હિંસાનું તાંડવ હજુ પણ શરુ છે. મંગળવારે બાંગ્લાદેશમાં શેખ હસીનાની પાર્ટી અવામી લીગ અને તેના સહયોગી પક્ષોના ઓછામાં ઓછા 29 નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં અવામી લીગના 20 નેતાઓ પણ સામેલ છે. આ તમામની હત્યા કરાઇ છે. બાંગ્લાદેશમાં રાજકીય સંકટ વચ્ચે હિંદુઓ પર હુમલા થઈ રહ્યા છે. જમાત-એ-ઈસ્લામીએ પણ આ વાત સ્વીકારી છે.

