વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરુ કરેલા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભાજપ દેશભરમાં 10 ઓગસ્ટથી તિરંગા યાત્રા શરુ કરશે. આ દરમિયાન દેશ માટે બલિદાન આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. ગુજરાત ભાજપ પણ 10 તારીખથી તિરંગા યાત્રા શરુ કરશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલના પગલે હર ઘર તિરંગા અભિયાન ચાલ્યું હતું.

