કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ રાહુલ ગાંધીને લઈને એક વિવાદિત નિવેદન આપ્યું છે. તેમણે રાહુલને આતંકવાદી કહ્યા છે. રાહુલ ગાંધીએ સંસદમાં હિંદુઓ અંગે આપેલા નિવેદન બાદ તેમણે આ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, ‘રાહુલ ગાંધીએ હિંદુઓને આતંકવાદી કહ્યા, તેઓ પોતે આતંકવાદી છે. ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આરોપ લગાવવો ખોટું છે. રાહુલ હિન્દુ સમાજને તોડવાનું કામ કરી રહ્યા छे.’

