ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી સૂર્યકુમાર યાદવે રોહિત અને દ્રવિડ વચ્ચેની વાતચીતનો અમુક ભાગ શેર કર્યો છે. તેણે કહ્યું, ‘T20 WC જીત્યા પછી દ્રવિડે આવીને રોહિતને ગળે લગાવ્યો અને કહ્યું કે નવેમ્બરમાં કરેલા ફોન માટે રોહિત તારો આભાર.’ હકીકતે ODI વર્લ્ડ કપમાં હાર બાદ દ્રવિડ કોચ બનવા માંગતા ન હતા, પરંતુ રોહિત અને જય શાહે તેને ટીમ ઇન્ડિયાના કોચ રહેવા માટે મનાવ્યા હતા.

