રાજકોટ અગ્નિકાંડ બાદ સ્કૂલ વાહનચાલકો ઉપર પણ તંત્રની તવાઇ બોલી હતી. ત્યારે હવે ટ્રાફિક પોલીસ અને RTOની કામગીરીના વિરોધમાં સ્કૂલવાન ચાલકો હડતાળ પર ઉતરશે. આજથી રાજ્યના 80 હજારથી વધુ રિક્ષા-સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ ઊતરશે. મળતી માહિતી પ્રમાણે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમીટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. જેની સાથે જ વાલીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.

