ખેડૂતો માટે સારા સમાચાર છે. આજે તેમને કિસાન સન્માન નિધિના પૈસા મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશના પ્રવાસે છે. અહીં તેઓ વારાણસીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો જારી કરશે. નરેન્દ્ર મોદી 9.3 કરોડથી વધુ ખેડૂતોના ખાતામાં લગભગ 20 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે. ત્રીજી વખત સત્તામાં આવ્યા બાદ પીએમ મોદીએ સૌથી પહેલા કિસાન સન્માન નિધિની ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા.

