જૂનાગઢ ભાજપમાં આંતરીક વિવાદ ચાલે છે. જે ફરી એક વખત સપાટીએ આવ્યો છે. કેન્દ્રિય મંત્રી અને ભાજપના નેતા મનસુખ માંડવિયાએ નામ લીધા વગર પ્રહાર કર્યો છે કે ભાજપનો સિમ્બોલ લઈને ફરનારા કાર્યકરોએ ભાજપ માટે કામ પણ કરવું જોઈએ. માંડવિયાએ આ કટાક્ષ જવાહર ચાવડા પર કર્યો હોવાનું કહેવાય છે. આ તરફ સાવજ ડેરીના ચેરમેને પણ કહ્યું કે માણાવદરની પેટાચૂંટણીમાં ઘણાએ હાડકા નાખવાનો પ્રયત્નો કર્યા પણ કાર્યકર્તાઓ ડગ્યા नहीं.

