ઈઝરાયેલના હુમલામાં 40 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. 20થી વધુ લોકો દક્ષિણ ગાઝાના રફાહમાં માર્યા ગયા છે. આ હુમલો ત્યારે થયો જ્યારે હમાસના નેતાઓ કૈરોમાં નવી યુદ્ધવિરામ વાટાઘાટો કરી રહ્યા હતા. આ હુમલા બાદ વિદેશી નેતાઓએ ઈઝરાયેલને હુમલો ન કરવાની અપીલ કરી છે. તે જ સમયે, અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિકને હમાસને ગાઝામાં યુદ્ધવિરામ અને ઇઝરાયેલના બંધકોને મુક્ત કરવા વિનંતી કરી છે.

