સ્પોર્ટ્સ ડેસ્ક, 27 ઓગષ્ટઃ Retirement: ઈન્ટરનેશલ ક્રિકેટ બાદ રવિચંદ્રન અશ્વિને હવે આઈપીએલમાંથી સંન્યાસ લીધો છે. આ વાતની જાણકારી તેમણે સોશિયલ મીડિયા પર આઈપીએલમાંથી સંન્યાસ લેવાની વાત કરી આપી છે. અશ્વિને સંન્યાસ પાછળ તેના મોટા નિર્ણયની પણ વાત કરી છે. અશ્વિને જણાવ્યું કે, હવે તે શું કરશે. અશ્વિને પોતાના આઈપીએલ કરિયરમાં 5 ટીમો માટે યોગદાન આપ્યું છે. તેમણે ઈન્ડિયન પ્રીમયિર લીગમાં કુલ 221 મેચ રમી છે.
Special day and hence a special beginning.
They say every ending will have a new start, my time as an IPL cricketer comes to a close today, but my time as an explorer of the game around various leagues begins today🤓.
Would like to thank all the franchisees for all the…
— Ashwin 🇮🇳 (@ashwinravi99) August 27, 2025
રવિચંદ્રન અશ્વિને સોશિયલ મીડિયા એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું જિંદગીનો આ ખાસ દિવસ છે. કહેવાય છે કે, દરેક વસ્તુનો અંત એક નવી શરુઆત લઈને આવે છે. મારી આ સ્ટોરીમાં પણ કાંઈ આવું જ છે. સંન્યાસ લેતા અશ્વિને આઈપીએલ, બીસીસીઆઈ અને તમામ ફ્રેન્ચાઈઝીનો આભાર માન્યો છે. જેના માટે તે રમ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Alert: આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના
બીજી તરફ ચેતેશ્વર પૂજારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ ટેસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું. પોતાના મોટા નિર્ણય બાદ, વિરાટ કોહલીએ હવે તેના સાથી ખેલાડીને ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી છે. વિરાટ કોહલીએ પૂજારાની નિવૃત્તિ પર ખૂબ જ ખાસ વાત કહી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો અને પૂજારાનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું કે તમે મારું કામ સરળ બનાવી દીધું. ચાલો તમને જણાવીએ કે વિરાટે પૂજારા માટે શું લખ્યું અને તેનું કારણ શું છે?
VIRAT KOHLI INSTAGRAM STORY FOR CHETESHWAR PUJARA. ❤️🥹 pic.twitter.com/kgIG76KAKV
— Tanuj (@ImTanujSingh) August 26, 2025
ટીમ ઈન્ડિયાના અનુભવી ખેલાડી વિરાટ કોહલીએ ચેતેશ્વર પૂજારાની નિવૃત્તિ બાદ તેની કારકિર્દીને સલામ કરી. વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું – ‘નંબર 4 પર મારું કામ સરળ બનાવવા બદલ પૂજારાનો આભાર. તમારી કારકિર્દી અદ્ભુત હતી. ભવિષ્ય માટે શુભકામનાઓ. ભગવાન તમને આશીર્વાદ આપે.’
ભારત માટે નંબર 3 પર ચેતેશ્વર પૂજારાએ શાનદાર પ્રદર્શન કર્યું. આ ખેલાડીએ 155 ટેસ્ટ ઈનિંગ્સમાં 44.41ની સરેરાશથી 6529 રન બનાવ્યા. ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3 પર પૂજારાએ 18 સદી અને 32 અડધી સદી ફટકારી. રાહુલ દ્રવિડ પછી નંબર 3 પર ટીમ ઈન્ડિયાના ખેલાડીનું આ શ્રેષ્ઠ પ્રદર્શન છે. સ્પષ્ટ છે કે આ જ કારણ છે કે વિરાટે આ દિગ્ગજ ખેલાડીને સલામ કરી છે.
આ પણ વાંચોઃ Oily skin care tips: શું આ સિઝનમાં તમારો પણ ચહેરો ઓઇલી થઇ જાય છે, તો ટ્રાય કરો આ ખાસ પેક

