ગઇ કાલે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર થયેલી ચર્ચાનો જવાબ આપ્યો. જેમાં તેમણે રાહુલ ગાંધીને ‘બાળક બુદ્ધિ’ કહ્યા. તેમણે કહ્યું કે ‘જ્યારે બાળક બુદ્ધિ હાવી થઇ જાય ત્યારે તે સદનમાં ગમે તેને ગળે પડી શકે છે. જ્યારે બાળક બુદ્ધિ સીમા લાંઘે છે ત્યારે તે સદનમાં બેઠા બેઠા આંખ પણ મારે છે.’ ઉલ્લેખનીય છે કે મોદી રાહુલ ગાંધીને તેમને ભેટવાની અને આંખ મારવાની ઘટના પર કટાક્ષ કરતા હતા.

