નોબેલ પુરસ્કાર વિજેતા અમર્ત્ય સેને કહ્યું હતું કે લોકસભા ચૂંટણી 2024ના પરિણામ દર્શાવે છે કે ભારત હિન્દુ રાષ્ટ્ર નથી. હવે આને લઈને દેશભરમાં રાજકારણ શરૂ થઈ ગયું છે. તેના પર કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું- અમે કહેતા આવ્યા છીએ કે આ દેશને હિન્દુ રાષ્ટ્ર ન બનાવી શકાય. ભારત હિંદુ રાષ્ટ્ર નથી, પરંતુ બહુલતા અને અનેક સમુદાયોની એકતાનો દેશ છે.

