નવી દિલ્હી, 12 નવેમ્બરઃ PM on Blast Case: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની LNJP હૉસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમણે દિલ્હી કાર બ્લાસ્ટમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી આજે ભુતાનથી દિલ્હી પરત ફર્યા અને પછી ઍરપોર્ટથી સીધા હૉસ્પિટલ પહોંચ્યા હતા.
પીએમ મોદીએ ઘાયલો સાથે મુલાકાત કરી અને તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી. હોસ્પિટલના અધિકારીઓ અને ડૉક્ટરોએ પણ તેમને વર્તમાન પરિસ્થિતિ વિશે માહિતી આપી. તેમજ આ ઘટના પર પીએમ મોદીએ કહ્યું કે, ‘આ ષડયંત્ર પાછળ જે લોકો છે, તેમને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે. જે પણ દોષિત છે, તેને છોડવામાં નહીં આવે.’
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp
— Narendra Modi (@narendramodi) November 12, 2025
આ પણ વાંચોઃ UPSC Mains Result 2025: UPSC મેઇન્સ 2025નું પરિણામ જાહેર, 2736 ઉમેદવારો સફળ- વાંચો વિગત
ઉલ્લેખનીય છે કે, સોમવારે (10 નવેમ્બર) સાંજે રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાસે કારમાં ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટનાથી દેશભરમાં અફરા-તફરીનો માહોલ બની ગયો હતો અને અનેક સ્થળો પર હાઇઍલર્ટ જાહેર થઈ ચૂક્યું છે. બ્લાસ્ટમાં અત્યાર સુધી 10 લોકોના મોત થઈ ચૂક્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત છે. ઈજાગ્રસ્તોને દિલ્હીની LNJP હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
🚨 HUGE STATEMENT by PM Modi in Bhutan
Delhi Blast: “All those responsible will be brought to justice.”
“The conspirators behind this will NOT be SPARED.” pic.twitter.com/4HNDRrArwF
— Megh Updates 🚨™ (@MeghUpdates) November 11, 2025
પીએમ મોદીએ ભુતાન પ્રવાસ દરમિયાન દિલ્હી બ્લાસ્ટની ઘટના વિષે પોતાનું પ્રથમ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ બાબતે તપાસ એજન્સીઓ ઊંડાણપૂર્વક તપાસ કરશે અને આ કાવતરા પાછળના ષડયંત્રકારીઓને છોડવામાં નહીં આવે.’

