અમદાવાદ, 05 ડિસેમ્બર: Meters for Rickshaw: અમદાવાદ શહેરના રિક્ષાચાલકોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર બહાર આવ્યા છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડી તમામ રિક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા છે. જેથી હવે અમદાવાદમાં રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. આ સાથે જો હવે રિક્ષામાં મીટર નહીં હોય તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી શકશે. જાહેરનામા મુજબ, 1 જાન્યુઆરીથી મીટર વગરની રિક્ષાએ મસમોટો દંડ ભરવો પડશે. રિક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
હવેથી રિક્ષામાં મીટર ફરજિયાત !!
1 જાન્યુઆરી 2025થી હવે મીટર વગરની રિક્ષાના ચાલકને અપાશે દંડ, મુસાફરને મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરાવવી બનશે ફરજિયાત. @AhmedabadPolice @GujaratPolice pic.twitter.com/pHqbSxayzt
— AHMEDABAD TRAFFIC POLICE (@PoliceAhmedabad) December 4, 2024
મહત્ત્વપૂર્ણ છે કે, પહેલી તારીખ બાદ જે પણ રિક્ષાચાલક મીટર વગર પોતાની રિક્ષા લઈને ધંધો કરવા બહાર નીકળશે તો તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેમજ જો રિક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડાં સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રિક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Shraddha Arya: ‘કુંડલી ભાગ્ય’ફેમ શ્રદ્ધા આર્યા બની માતા, જોડિયા બાળકોને આપ્યો જન્મ- જુઓ ફોટોઝ
ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રિક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રિક્ષાચાલકોને મીટર લગાવવા માટે પહેલી તારીખ સુધીનો સમય પણ આપવામાં આવ્યો છે.
શહેરમાં ચાલતી રિક્ષામાં મીટર ફરજિયાત લગાવવું પડશે. જાહેરનામા મુજબ, મીટર વગરની રિક્ષા હશે તો ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરશે. 1 જાન્યુઆરીથી મીટર વગરની જોવા મળતી રિક્ષાના ચાલકને દંડ ફટકારવામાં આવશે. રિક્ષા ચાલકો ભાડુ વધુ વસુલતા હોવાની ફરિયાદ બાદ પોલીસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ તરફ હવે મુસાફરને પણ મીટરથી ભાડુ નક્કી કરીને મુસાફરી કરવી ફરજિયાત બનશે.

