Jethalal Lost 16 Kg Weight

Jethalal lost 16 kg Weight: કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર બાદ જેઠાલાલે 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું – જાણો કેવી રીતે?

મનોરંજન ડેસ્ક, 12 જુલાઇઃ Jethalal lost 16 kg Weight: આજકાલ સેલિબ્રિટીઝ ઝડપથી વજન ઘટાડી રહ્યા છે. કપિલ શર્મા, કરણ જોહર, રામ કપૂર તેમજ બાદશાહે અદ્ભુત ટ્રાન્સફોર્મેશન કર્યું છે. તેમના વિશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ લોકોએ ઓઝેમ્પિક નામના ઇન્જેક્શનથી પોતાનો વજન ઘટાડ્યો છે. આ દરમિયાન, ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠા લાલ એટલે કે દિલીપ જોશીનું ટ્રાન્સફોર્મેશન પણ ચર્ચામાં છે.

દિલીપ જોશીએ 45 દિવસમાં 16 કિલો વજન ઘટાડ્યું અને આશ્ચર્યજનક વાત એ છે કે આ માટે તેણે ન તો જીમ કર્યું કે ન તો ડાયેટિંગ. અન્ય સેલિબ્રિટીઝની જેમ, દિલીપ જોશીએ મોંઘા જીમ ટ્રેનર કે મોંઘા ડાયેટિશિયનની મદદ લીધી ન હતી. તેણે પોતે જણાવ્યું કે આટલા ઓછા સમયમાં તેણે આટલું વજન કેવી રીતે ઘટાડ્યુ હતું.

આ પણ વાંચોઃ Gujarat Rain Forecast: આગામી 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જાણો આ જિલ્લામાં આપ્યુ છે એલર્ટ

1992ની વાત છે, જ્યારે દિલીપ જોશીએ ગુજરાતી ફિલ્મ ‘હુન હુંશી હુંશીલાલ’ માં એક વૈજ્ઞાનિકની ભૂમિકા માટે પોતાનો વજન ઘટાડવાનો હતો. તે અંગે વાર કરતા એક મીડિયા ઈન્ટરવ્યૂમાં અભિનેતાએ કહ્યું કે, ‘તે સમય દરમિયાન હું રનિંગ કરતો. તેમજ જયારે હું કામ જતો ત્યારે સ્વિમિંગ ક્લબમાં કપડાં બદલતો અને વરસાદમાં મરીન ડ્રાઇવ પાર કરીને ઓબેરોય હોટેલ રનિંગ કરીને પાછો આવતો. જેમાં મને 45 મિનિટનો સમય લાગતો હતો. આ રીતે, મે દોઢ મહિનામાં તેમનું 16 કિલો વજન ઘટાડ્યું.

ડૉક્ટર કહે છે કે દર મહિને 2 થી 4 કિલો વજન ઘટાડવું એ એક સ્વસ્થ અને કાયમી રીત છે. આનો અર્થ એ છે કે શરીર ધીમે ધીમે ફિટ બને છે. ઉપરાંત, આ રીતે વજન ઘટાડવાથી વજન ફરીથી ઝડપથી વધતું પણ નથી.

સ્વસ્થ રીતે વજન ઘટાડવા માટે, ડોકટરો સંતુલિત આહાર લેવાની સલાહ આપે છે. તેમજ દરરોજ 30 મિનિટ માટે થોડી કસરત કરો. પૂરતી ઊંઘ લો અને તણાવ ઓછો રાખો. આ ઉપરાંત પુષ્કળ પાણી પીઓ અને સૌથી અગત્યનું, કોઈપણ ફિટનેસ અથવા ડાયટ પ્લાન શરૂ કરતા પહેલા, ડૉક્ટર અથવા નિષ્ણાતની સલાહ લો.

આ પણ વાંચોઃ Plane Crash Report: અમદાવાદ પ્લેન ક્રેશનો રિપોર્ટ આવ્યા બાદ સરકારનું નિવેદન, રામ મોહન નાયડુએ આપી પ્રતિક્રિયા- વાંચો વિગત