મુંબઇ, 04 ડિસેમ્બરઃ Devendra Fadnavis: દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે. ભાજપ કોર કમિટીની બેઠકમાં તેમના નામને મંજૂરી આપવામાં આવી છે. ફડણવીસ આજે જ સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. આવતીકાલે તેઓ મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભાજપ કોર કમિટીમાં નિર્ણય લેવામાં આવ્યો કે દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ ધારાસભ્યોની બેઠકમાં લાવવામાં આવશે. સુધીર મુનગંટીવાર અને ચંદ્રકાંત પાટીલ બંને દેવેન્દ્ર ફડણવીસના નામનો પ્રસ્તાવ મૂકશે. વાસ્તવમાં મહારાષ્ટ્રમાં ભાજપની કોર કમિટીની બેઠક ચાલી રહી છે. આ પાર્ટીની બેઠક વિધાન ભવનમાં થઈ રહી છે. આ બેઠક બાદ ધારાસભ્ય દળની બેઠક થશે.
छत्रपती शिवाजी महाराज की जय!🚩
🕜 1.20pm | 4-12-2024📍Vidhan Bhavan, Mumbai | दु. १.२० वा. | ४-१२-२०२४📍विधान भवन, मुंबई.
🚩Offered humble floral tributes and took blessings of our greatest King Chhatrapati Shivaji Maharaj, after being elected as the BJP Legislative Leader, at… pic.twitter.com/Q1nHFOzMxh
— Devendra Fadnavis (@Dev_Fadnavis) December 4, 2024
આ પછી, ભાજપ તેના સહયોગી પક્ષોના અગ્રણી નેતાઓ સાથે બપોરે 3.30 વાગ્યે રાજ્યપાલ પાસે તેમના સમર્થન પત્રો સાથે જશે. તેમાં મહાયુતિના નેતાઓ પણ હશે. ભાજપ રાજ્યપાલને મળશે અને સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે. સીએમ ચહેરો પસંદ કરવા માટે, ભારતીય જનતા પાર્ટીએ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મહારાષ્ટ્ર વિધાનસભા પક્ષની બેઠક માટે નિરીક્ષક બનાવ્યા છે.
આ પણ વાંચોઃ Canada: કેનેડામાં લગભગ 7 લાખ વિદેશી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં, આ લોકોએ છોડવો પડશે દેશ- વાંચો વિગત
નોંધનીય છે કે, બે વખત સીએમ રહી ચૂકેલા દેવેન્દ્ર ફડણવીસ આ પદની રેસમાં સૌથી આગળ હતા. તેઓ 2014માં પ્રથમ વખત રાજ્યના સીએમ બન્યા હતા. આ વખતે વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનનો જંગી વિજય થયો છે. ગઠબંધનને 230 વિધાનસભા બેઠકો મળી છે. જેમાં ભાજપને સૌથી વધુ 132 સીટો મળી છે. એકનાથ શિંદેની શિવસેનાએ 57 અને અજિત પવારની એનસીપીએ 41 બેઠકો જીતી છે.
ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં ધારાસભ્યો તેમના નેતાની પસંદગી કરશે. આ પછી પૂર્વ સીએમ રૂપાણી અને નાણામંત્રી સીતારમણ પસંદગીના ઉમેદવારનું નામ દિલ્હીમાં વરિષ્ઠ નેતાઓને જણાવશે. આ પછી, આ નિરીક્ષકો ભાજપના ચૂંટાયેલા નેતાની જાહેરાત કરશે, જે આગામી મુખ્યમંત્રી બનશે. આ પછી નવા મુખ્યમંત્રી 5 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી અને અન્ય નેતાઓની હાજરીમાં શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ મુંબઈના આઝાદ મેદાનમાં યોજાશે.
5 ડિસેમ્બરે યોજાનાર શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ કાર્યક્રમની તૈયારીઓ પર નજર રાખી રહ્યા છે. સોમવારે તેઓ દક્ષિણ મુંબઈમાં સમારોહના સ્થળે પણ પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપશે.

