Custom Duty Rise

Custom Duty Rise: કેન્દ્ર સરકારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાનો લીધો નિર્ણય, બીજી તરફ ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી ઘટાડી – વાંચો વિગત

બિઝનેસ ડેસ્ક, 14 સપ્ટેમ્બરઃ Custom Duty Rise: કેન્દ્ર સરકારે વધુ એક ઝટકો આપતા ક્રૂડ અને રોજીંદા જીવનમાં વપરાતા ખાદ્ય તેલ(રિફાઈન્ડ ઓઈલ) પર કસ્ટમ ડ્યુટી વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારો સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ પર કરવામાં આવ્યો છે. સરકારે જાહેર કરેલા નોટિફિકેશન અનુસાર ક્રૂડ ઓઈલ પર કસ્ટમ ડ્યૂટી 0થી વધારીને 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યૂટી વધારીને હવે 32.5 ટકા કરી દેવામાં આવી છે.

આ પણ વાંચોઃ Asian Champions Trophy: એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી હોકી ટુર્નામેન્ટમાં ભારતીય ટીમે શાનદાર કર્યું પ્રદર્શન, ભારતની સતત 5મી જીત- વાંચો વિગત

નાણા મંત્રાલએ જાહેર કરેલા નોટિફિકેશનમાં જણાવામાં આવ્યું છે કે, સરકારે ક્રૂડ ઓઈલ અને રિફાઈન્ડ સનફ્લાવર તેલ, પામ તેલ અને સોયાબીન તેલ માટે બેઝિક કસ્ટમ ડ્યુટી વધારી છે. કસ્ટમ ડ્યુટીમાં કરાયેલા ફેરફાર બાદ નવા દરો આજથી એટલે કે 14 સપ્ટેમ્બર 2024થી લાગુ થઇ જશે.

ક્રૂડ ઓઈલ પર બેઝિક કસ્ટમ ડ્યુટી 0થી વધારી 20 ટકા કરવામાં આવી છે, જ્યારે ખાદ્ય તેલ પર તે કસ્ટમ ડ્યુટી 12.5થી વધારી 32.5 ટકા કરવામાં આવી છે. બેઝિક કસ્ટમ ડ્યુટીમાં વધારો કરાયા બાદ હવે ક્રૂડ ઓઈલ પ્રભાવી ડ્યુટી વધીને 5.5 ટકાથી વધીને 27.5 ટકા અને ખાદ્ય તેલ પરની પ્રભાવી ડ્યુટી અનુક્રમે 13.75 ટકાથી વધીને 35.75 ટકા થશે.

આ પણ વાંચોઃ Landslides on Utrakhand highway: ઉત્તરાખંડમાં વરસાદ અને ભૂસ્ખલના કારણે બદ્રીનાથ-યમુનોત્રી હાઇવે બંધ કરાયો, વાંચો વિગત

સરકારે ખાદ્ય તેલ પર કસ્ટમ ડ્યુટી વધારવાની સાથે વધુ એક મોટો નિર્ણય લીધો છે. ડુંગળીના ખેડૂતોને રાહત આપતા મોદી સરકારે ડુંગળીની લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે. આ સિવાય ડુંગળી પર એક્સપોર્ટ ડ્યૂટી 40 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દીધી છે. સરકારના આ પગલાની અસર ડુંગળીના ભાવ પર પણ જોવા મળી શકે છે, જે છેલ્લા કેટલાક દિવસોથી સતત વધી રહી હતી. ડુંગળી ઉપરાંત સરકારે બાસમતી ચોખાની નિકાસ પર પણ લઘુત્તમ નિકાસ કિંમત હટાવી દીધી છે.