પાકિસ્તાનની જેલમાં ભારતીય નાગરિક સરબજીત સિંહની હત્યા કરનારા અંડરવર્લ્ડ ડોન આમિર સરફરાઝની લાહોરમાં હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આમિર સરફરાઝ તેની કારમાં જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેને ગોળી મારી હતી. સરબજીત સિંહને પાકિસ્તાની સેનાએ જાસૂસીના કથિત આરોપમાં પકડયો હતો. આ પછી ISIના આદેશ પર આમિર સરફરાઝે સરબજીતની હત્યા કરી હતી.

