AMC

AMC દ્વારા શહેરના નાગરિકો માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય, હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે- વાંચો વિગત

અમદાવાદ, 20 ડિસેમ્બરઃ AMC: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન E-KYCને લઈને મહત્ત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવેથી અરજદારોને તેમના ડોક્યુમેન્ટમાં પિતાના નામ પાછળ કુમાર કે ભાઈ લખાવવા માટે એફિડેવિટ કરાવવાનું નહીં પડે. લોકોને એફિડેવિટને લઈને હાલાકી ભોગવવી પડતી હતી, જેની ફરિયાદોને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.

હવે AMC દ્વારા જન્મ-મરણ વિભાગ ખાતે E-KYC માટે હવે એફિડેવિટ વગર જ સુધારા વધારા કરી શકાશે.આ ઉપરાંત, લોકોને લાઈનમાં ઊભુ રહેવાની નોબત ન પડે એ માટે સ્ટેડિંગ કમિટી દ્વારા વધારાનો સ્ટાફની ફાળવણી પણ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Lips Care Tips: હોઠની સુંદરતા જાળવવા અને ફાટેલા હોઠથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

આ પણ વાંચોઃ Suvali Beach Festival: આજથી સુરતના સુવાલી બીચ ફેસ્ટિવલનો શુભારંભ, 22 ડિસેમ્બર સુધી યોજાશે વિશેષ કાર્યક્રમ