Mansarovar Yatra

Mansarovar Yatra: 5 વર્ષ બાદ ફરી શરૂ થશે કૈલાશ માનસરોવર યાત્રા, જાણો જવા માટેના ત્રણ મુખ્ય રૂટ સાથે મહત્વ

નવી દિલ્હી, 19 ડિસેમ્બર : Mansarovar Yatra: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ છે. પાંચ વર્ષના અંતરાલ પછી, બેઇજિંગમાં બંને દેશો વચ્ચેના વિશેષ પ્રતિનિધિઓની બેઠકના 23મા રાઉન્ડમાં 6 મુદ્દાઓ પર સહમતિ બની હતી. પૂર્વી લદ્દાખમાં ચાર વર્ષના લાંબા અવરોધ પછી સંબંધોની પુનઃસ્થાપનાને ધ્યાનમાં રાખીને તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે સરહદ મુદ્દે રચાયેલી આ મિકેનિઝમની છેલ્લી બેઠક ડિસેમ્બર 2019 પછી પ્રથમ વખત યોજાઈ છે.

આ બેઠકમાં ભારત તરફથી રાષ્ટ્રીય સલાહકાર અજીત ડોભાલ અને ચીન તરફથી વિદેશ મંત્રી વાંગ યી હાજર રહ્યા હતા. બંને વિશેષ પ્રતિનિધિઓએ દ્વિપક્ષીય સંબંધોની સુધારણા માટે સરહદી વિસ્તારમાં શાંતિ જાળવી રાખવાને મહત્વપૂર્ણ ગણાવ્યું હતું. ક્રોસ બોર્ડર નદીઓ અને વેપાર પર ડેટા શેરિંગ સહિત ઘણા મુદ્દાઓ પર સહમતિ થઈ હતી.

આ પણ વાંચોઃ A visionary initiative: મોરબી સીરામીક ઉધોગના વેપારીઓના ફસાયેલા રૂ.19 કરોડથી વધુ નાણા SIT પરત કરી: ગૃહ રાજ્ય મંત્રી

ભારત અને ચીનના વિશેષ પ્રતિનિધિઓએ સરહદ વિવાદ પર ચર્ચા કરી અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા માટે સંમત થયા હતા. આ વાતચીત બાદ ભારતના ભક્તોને એક મોટા સમાચાર મળ્યા છે.

અગાઉ, વિદેશ મંત્રી એસ જયશંકરે બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી-20 સમિટ દરમિયાન તેમના ચીની સમકક્ષ વાંગ યી સાથે મુલાકાત કરી હતી. જેમાં માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અને ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઈટ શરૂ કરવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. કૈલાશ માનસરોવર યાત્રા છેલ્લા પાંચ વર્ષથી બંધ છે.

કૈલાશ માનસરોવર યાત્રાના ત્રણ મુખ્ય રૂટ
1. લિપુલેખ પાસ રૂટઃ આ માર્ગ ભારતના ઉત્તરાખંડ રાજ્યથી શરૂ થાય છે અને તિબેટમાં પ્રવેશ કરે છે.
2. નાથુ લા પાસ રૂટઃ આ માર્ગ ભારતના સિક્કિમ રાજ્યથી શરૂ થાય છે અને તિબેટમાં પ્રવેશે છે.
3. શિગાત્સે રૂટઃ આ રૂટ તિબેટના શિગાત્સે શહેરથી શરૂ થઈને કૈલાશ માનસરોવર સુધી જાય છે.
આ પ્રવાસ ખૂબ જ મુશ્કેલ છે અને આ માટે પ્રવાસીઓએ શારીરિક અને માનસિક રીતે તૈયાર રહેવું પડશે.

આ પણ વાંચોઃ FIR Against Rahul: રાહુલ ગાંધી પર સાંસદમાં ધક્કામુક્કીનો આરોપ, ભાજપના 3 સાંસદ પોલીસમાં ફરિયાદ કરવા પહોંચ્યા- વાંચો વિગત