અંબાજી, 18 સપ્ટેમ્બરઃ Bhadarvi Poonam: આજે અંબાજીમાં ભાદરવી પુનમના મેળાનો છેલ્લો દિવસ છે. છેલ્લા 6 દિવસમાં 27 લાખ ભક્તોએ અંબાજીની મુલાકાત લીધી છે. આજે પણ મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિરની મુલાકાતે આજે રાત્રીના 12 કલાકે મેળાની પૂર્ણાહૂતિ કરવામાં આવશે. જો કે આવતીકાલથી અંબાજી મંદિરમાં દર્શન રાબેતા મુજબ થશે.
जय भगवति देवि नमो वरदे जय पापविनाशिनि बहुफलदे।
जय शुम्भनिशुम्भकपालधरे प्रणमामि तु देवि नरार्तिहरे।।જગતજનની, ગબ્બર ગોખે – ચાચર ચોકે વિરાજનાર, ભક્તવત્સલ, આદ્યશક્તિ મા અંબાની આસ્થા – ભક્તિના મંગલમય પર્વ ભાદરવી પૂનમની સર્વે માઈભક્તોને હાર્દિક શુભકામનાઓ.
મા આરાસુરી અંબાની કૃપા… pic.twitter.com/fKJviYEMmj
— Harsh Sanghavi (@sanghaviharsh) September 18, 2024
આજે ભાદરવી પૂનમના મેળાના અંતિમ દિવસે ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અંબાજીની મુલાકાતે છે. માડીના દર્શન બાદ કંટ્રોલ પોઈન્ટની મુલાકાત લેશે. અંબાજી મંદિરના શિખર ઉપર ધજારોહણ પણ કરશે. આ ઉપરાંત ગૃહરાજ્યપ્રધાન પોલીસકર્મીઓનું સન્માન કરશે.
आज सुबह पालनपुर पहुंचा, अंबाजी में भादरवी पूनम के मेले में भाग लेने के लिए उत्साहित हूं।
बचपन में जो मेलों में जाने का शौक रहता था, वो आज भी कहीं न कहीं हम सबमें जिंदा है।
बोल मारी अंबे, जय जय अंबे 🙏🏻
Reached Palanpur this morning, very excited to take part in the Bhadarvi… pic.twitter.com/PXJKO3n1px
— Harsh Sanghavi (@sanghaviharsh) September 18, 2024
આ પણ વાંચોઃ Gmail close by Google: એલર્ટ! આ તારીખથી બંધ થશે Google એકાઉન્ટ, કંપનીએ લીધો મહત્વનો નિર્ણય- વાંચો વિગત
ભાદરવી પૂનમના પગલે અંબાજીમાં ભારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જ્યારે મા અંબાના દર્શન કરવા માટે લોકો દૂરથી આવીને લાંબી કતારોમાં ઉભા રહ્યાં હતા. ત્યારે મા ભગવતીના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

