Anupama

Sudhanshu left the show: લોકપ્રિય ટીવી શો અનુપમાને વધુ એક લીડ એક્ટરે કહી દીધું અલવિદા, એક્ટરે માંફી માંગતો વીડિયો કર્યો શેર

મનોરંજન ડેસ્ક, 29 ઓગષ્ટઃ Sudhanshu left the show: જાણીતા ટીવી શો ‘અનુપમા’ લોકોનો ફેવરિટ શો છે. એ અલગ વાત છે કે આ શોમાં લીપ બાદ ઘણા સ્ટાર્સે શોને અલવિદા કહી દીધું હતું. આશિષ મલ્હોત્રા (તોશુ) અને મદાલસા શર્મા (કાવ્યા)ના નામ પણ આ યાદીમાં છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે શોના મુખ્ય પાત્રો રૂપાલી ગાંગુલી અને અનુજ પણ શોને અલવિદા કરવાના મૂડમાં છે પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે રૂપાલી અને ગૌરવ ખન્ના નહીં પરંતુ શોના અન્ય એક પાવરફુલ એક્ટરે અનુપમાને અલવિદા કહી દીધું છે.

આ પણ વાંચોઃ Vadodara Crocodile Rescue: છેલ્લા 24 કલાકમાં મહાકાય 15 ફૂટના મગર સહિત વધુ ત્રણ મગર રેસ્ક્યુ કરવામાં આવ્યા- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે તે બીજું કોઈ નહીં પણ વનરાજ શાહનું પાત્ર ભજવનાર અભિનેતા સુધાંશુ પાંડે છે. એક્ટર સુધાંશુ પાંડેએ રાતોરાત શો છોડવાનો નિર્ણય લીધો છે. તેણે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં આ વાતનો ખુલાસો કર્યો હતો. તેણે પોતાના આ નિર્ણય માટે ચાહકોની માફી પણ માંગી છે. આ સમાચારે સુધાંશુના ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. દેખીતી રીતે સુધાંશુ પાંડે આ શોમાં વનરાજ શાહનું પાત્ર ભજવી રહ્યો હતો. ચાહકોને પણ તેનું પાત્ર ખૂબ પસંદ આવ્યું હતું. તેના ચાહકો પણ શો છોડવાના તેના અચાનક નિર્ણયને સ્વીકારી શકતા નથી. બીજી તરફ તેના જવાથી શોની TRP પર ભારે અસર પડી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)

તાજેતરમાં જ સુધાંશુ પાંડેએ કહ્યું, ‘ભારે હૃદય સાથે હું તમને કહેવા માંગુ છું કે હું હવે અનુપમા શોનો ભાગ નથી. રક્ષાબંધન એપિસોડ મારો છેલ્લો હતો અને તે પછી હું શોનો ભાગ નથી. મારા ચાહકોને મારા પર ગુસ્સો ન આવે તે માટે ઘણા દિવસો વીતી ગયા કે હું તેમને કહ્યા વગર જતો રહ્યો, આ વાત તમારી સાથે શેર કરવાની મારી જવાબદારી છે. આપણે જીવનમાં આગળ વધવાનું છે. હું ઈચ્છું છું કે તમે મને મારા ભાવિ કાર્યમાં પણ એવો જ પ્રેમ આપો.

આ પણ વાંચોઃ PM Modi Talk With CM: પીએમ મોદી પોતે રાખી રહ્યા છે ગુજરાતની સ્થિતિ પર સતત નજર, CM સાથે કરી ટેલિફોનિક વાતચીત

સુધાંશુ પાંડેએ અચાનક શો છોડવા પાછળનું કારણ જણાવ્યું નથી પરંતુ એવું માનવામાં આવે છે કે સુધાંશુને ‘સ્ક્રીપ્ટમાં દખલ’ એટલે કે શોની સ્ક્રિપ્ટમાં દખલગીરીના કારણે શોમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. સ્ક્રિપ્ટને લઈને શોના નિર્માતા રાજન શાહી સાથેની તેમની દલીલને કારણે તેમને શો છોડવા માટે કહેવામાં આવ્યું હતુ હોવાનું અનુમાન છે. જોકે શું સાંચુ છે તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી.