CM ભૂપેન્દ્ર પટેલને દિલ્હીનું તેડું
CM ભૂપેન્દ્ર પટેલ આજે રાત્રે 8 કલાકે દિલ્હી જવા રવાના થશે. આવતીકાલે દિલ્હીમાં તેઓ નીતિ આયોગની બેઠકમાં હાજર રહેશે. પછી તેઓ PM મોદી અને અમિત શાહને મળશે. PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક યોજાશે. 2024ની લોકસભાની ચૂંટણી પરિણામો બાદ આ પહેલીવાર નીતિ આયોગની બેઠક થશે. જેમાં તમામ CM ભાગ લેશે. મળતી માહિતી અનુસાર વિપક્ષ પક્ષની સરકાર ધરાવતા રાજ્યોના CMએ નીતિ આયોગની બેઠકનો વિરોધ કર્યો છે.

