દારુની સાથે જપ્ત થયેલા વાહનોની તત્કાળ હરાજી થશે
ગુજરાતમાં દારુ કે નશાની હાલતમાં વાહન ચલાવતા વ્યક્તિ સાથે પોલીસ જપ્ત કરેલા વાહનો હવે પોલીસ હરાજી કરીને વેચાણ શરુ કરી દેશે. રાજ્ય સરકારે નશાબંધી અધિનિયમ-1949 હેઠળ રાજ્યસાત થતા વાહનોના તત્કાળ હરાજીથી વેચાણ માટે વટહુકમ દ્વારા કાયદામાં સુધારો કર્યો છે. જેને રાજ્યપાલની મંજૂરી બાદ એકાદ સપ્તાહથી અમલમાં આવશે.

