આસામના સીએમ હિમંતા વિશ્વ સરમાએ જણાવ્યું હતું કે 2015 પહેલા ભારત આવનાર કોઈપણ વ્યક્તિ (CAA મુજબ)એ નાગરિકતા માટે અરજી કરવી પડશે. જો તેઓ અરજી નહીં કરે તો અમે તેમની સામે કેસ દાખલ કરીશું. તેથી આ એક વૈધાનિક સૂચના છે. 2015 પછી જે લોકો આવ્યા હતા તેમને અમે દેશનિકાલ કરીશું. આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સોમવારે CAA સંબંધિત મહત્વપૂર્ણ માહિતી આપી હતી.

