આયુષ્માન ભારત યોજનામાં ફેરફાર થઈ શકે છે. સરકાર બજેટ 2024માં તેના હેઠળ ઉપલબ્ધ સ્વાસ્થ્ય વીમા કવરને બમણું કરવા પર વિચાર કરી રહી છે. મીડિયાને અહેવાલ મુજબ યોજના હેઠળ લાભાર્થીઓ માટે કવરેજ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા પ્રતિ વર્ષ કરવાની તૈયારીઓ છે. સરકાર આગામી ત્રણ વર્ષમાં તેની મુખ્ય આયુષ્માન ભારત વીમા યોજના હેઠળ લાભાર્થીઓની સંખ્યા બમણી કરવાનું વિચારી રહી છે.

