બાર્બાડોસમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્માએ નિવૃતિ જાહેર કરી છે. ત્યારે હવે સવાલ એ છે કે ભારતનો T20 કેપ્ટન કોણ બનશે? હાર્દિક પંડ્યા કેપ્ટન બનવાના દાવેદારોની રેસમાં સૌથી આગળ છે. તેની પાસે T-20 ઈન્ટરનેશનલમાં 100 મેચોનો અનુભવ છે, જે અન્ય કોઈ દાવેદાર પાસે નથી. હાર્દિક ઉપરાંત ઋષભ પંત અને સૂર્યકુમાર યાદવ પણ કેપ્ટન માટેના દાવેદાર છે. BCCI ટૂંક સમયમાં જ નવા કેપ્ટનની જાહેરાત કરી શકે છે.

