માઈગ્રેનના દુખાવામાં રાહત આપવામાં ગાયનું ઘી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. તે શરીર અને મનમાં વધારાના પિત્તને સંતુલિત કરવામાં મદદ કરે છે. જો તમને માઈગ્રેનનો દુખાવો હોય તો તમે ગાયના ઘીનો ઉપયોગ કરી શકો છો. તમે ગાયનું ઘી રોટલી, ભાત કે શાકમાં ઉમેરીને ખાઈ શકો છો. આ સિવાય માઈગ્રેનના દુખાવાની સ્થિતિમાં ગાયના ઘીના બે ટીપા નાકમાં નાખવાથી રાહત મળશે.

