પાકિસ્તાનમાં ઘૂસીને મારીશું’
રક્ષામંત્રી રાજનાથ સિંહે એક ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનને સીધો અને કડક સંદેશ આપ્યો છે. પાડોશી દેશ દ્વારા ફેલાવવામાં આવી રહેલા આતંકવાદને લગતા સવાલના જવાબમાં રાજનાથ સિંહે કહ્યું કે, જો કોઈ આતંકવાદી પાકિસ્તાન ભાગી જશે તો તેને ત્યાં પણ મારી નાખવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, જો કોઈ આતંકવાદી ભારતમાં શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરશે તો તેને જડબાતોડ જવાબ આપવામાં આવશે.

