ગતરોજ રાહુલ ગાંધીના સંબોધનને લઈ હિન્દુ ધર્મમાં રોષની લાગણી જોવા મળી રહી છે. વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં કેટલાક એવા મુદ્દાઓ છેડ્યા હતા. જેથી નારાજ થયેલા હિન્દુઓ ગત મોડીરાત્રે અમદાવાદના રાજીવ ગાંધી ભવન ખાતે તોડફોડ કરી હતી અને બજરંગદળના કાર્યકર્તાઓ પણ પહોંચ્યા હતા. રાજીવ ગાંધી ભવનમાં લગાવવામાં આવેલ રાહુલના ફોટા પર કાળો સ્પ્રે છાંટી બેનરો ફાડયા હતા.

