ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ છૂટાછેડા લીધેલી મુસ્લિમ મહિલાઓને ભરણપોષણ આપવાના SCના આદેશને ખોટો ગણાવ્યો છે. બોર્ડનું કહેવું છે કે આ નિર્ણય શરિયા વિરુદ્ધ છે, તેથી બોર્ડ સંભવિત પગલાં અંગે વિચારશે. જેથી SCને નિર્ણય પર પુનર્વિચાર કરવા માટે અપીલ કરી શકાય. બોર્ડના મતે આ નિર્ણયથી તે મહિલાઓ માટે વધુ સમસ્યા ઊભી થશે જેઓ તેમના દુઃખદાયક સંબંધોમાંથી બહાર આવી છે.

