આજે પીએમ મોદી હાલારના પ્રવાસે છે. સભા સંબોધતા પહેલા PM મોદીએ જામનગરના જામ સાહેબ સાથે મુલાકાત કરી હતી. જામ સાહેબે તેમને પાઘડી પહેરાવી હતી. જામ સાહેબ સાથેની આ મુલાકાત ઘણી રાજકીય રીતે સૂચક માનવામાં આવે છે. કેમ કે, રાજકોટ સીટ પરના ઉમેદવાર પરસોત્તમ રુપાલા સામે ક્ષત્રિયોનો રોષ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગઈકાલે ગુજરાત ભરના રાજવીઓએ પીએમ મોદીને સમર્થન આપવા ક્ષત્રિયોને અપીલ કરી હતી.

