દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 12 જુલાઈ સુધી લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બુધવારે (3 જુલાઈ) ન્યાયિક કસ્ટડીનો સમયગાળો વધાર્યો હતો. કેજરીવાલે કથિત એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત સીબીઆઈ દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન મેળવવા માટે બુધવારે દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.

