ત્રિપુરાના ગંડતવિસામાં કથિત મોબ લિંચિંગમાં એક આદિવાસી વિદ્યાર્થીનું મોત થયું હતું. જે બાદ ગાંડતવીસામાં કોમી તણાવની સ્થિતિ સર્જાઈ છે. સાવચેતીના પગલા તરીકે કલમ 144 લાગુ કરી છે. આ ઉપરાંત 24 કલાક માટે ઈન્ટરનેટ બંધ કરવામાં આવ્યું છે. આ વિસ્તાર રાજ્યના ધલાઈ જિલ્લામાં છે. અહીં 5 દિવસ પહેલા આદિવાસી વિદ્યાર્થી પરમેશ્વર રેઆંગનું કથિત મોબ લિંચિંગમાં મોત થયું હતું.

