લગભગ સાડા ચારસો વર્ષ પહેલા રામાનંદી સંત હનુમાનદાસજીએ શહેરના જમાલપુરમાં જગન્નાથજીના મંદિરમાં ગઢીની સ્થાપના કરી હતી.તેમના પછી સારંગદાસજીએ બલભદ્રજી, બહેન સુભદ્રાજી અને ભગવાન જગન્નાથજીની મૂર્તિઓને સિંહાસન પર સ્થાપિત કરી. એવું કહેવાય છે કે ભગવાન જગન્નાથ નરસિંહ દાસ મહારાજના સ્વપ્નમાં દેખાયા અને તે પછી તેમણે અષાઢી માટે રથયાત્રા શરૂ કરી હતી.

