ગુજરાતમાં ચાંદીપુરા વાયરસને લઈ ખળભળાટ મચ્યો છે. અને અત્યાર સુધી ગુજરાતના 21 જિલ્લામાં આ વાયરસે પગપેસારો કરી દીધો છે. પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસના વધુ 5 શંકાસ્પદ કેસ નોંધાયા છે જેમાં એક વર્ષીય બાળકનું મોત થયું છે. મોરવા હડફ તાલુકામાં 2, ગોધરામાં બે અને ઘોઘંબા તાલુકામાંથી એક શંકાસ્પદ ચાંદીપુરાના કેસ મળી આવ્યા છે.

