ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના કેસમાં વધારો થતા તંત્રની ઉંઘ હરામ થઈ છે.
આજે રાજકોટમાં 3, અમદાવાદમાં 2 અને પંચમહાલ જિલ્લામાં 1 બાળકનું મોત થતા રાજ્યભરમાં ચાંદીપુરા વાઇરસના કુલ કેસની સંખ્યા વધીને 35 થઈ છે. મૃત્યુઆંક વધીને 21 થયો છે. જો કે, હવે આ વાઈરસના સેમ્પલનું ટેસ્ટિંગ ગાંધીનગરમાં જ કરવામાં આવશે જેથી રિપોર્ટ માટે રાહ જોવી પડશે નહીં.

