BJP નેતા પરષોત્તમ રુપાલાને લઈને ક્ષત્રિય સમાજનો વિરોધ અટકવાનું નામ નથી લઈ રહ્યો ત્યારે રુપાલાએ વધુ એક મોટુ નિવેદન આપ્યું છે. જેનાથી નવો વિવાદ સર્જાય તો નવાઈ નહીં. રુપાલાએ કહ્યું કે, તેઓ OBC સેનાની મદદથી ચૂંટણી જીતવા સક્ષમ છે. રુપાલાએ OBC સમાજની સરખામણી રામાયણમાં શ્રીરામની સેના સાથે કરી હતી. રામનવમી નિમિત્તે યોજાયેલા OBC મહાસંમેલનમાં રુપાલાએ ઉપરોક્ત વાત કરી હતી.

