અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી જતા મામલો બીચકાયો હતો. બન્ને પાર્ટીના લોકોએ એકબીજા પર પથ્થરમારો શરુ કર્યો હતો. ભાજપ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓની ધરપકડ કરાઈ હતી. તો બીજી બાજુ શક્તિ સિંહ ગોહિલે કહ્યું કે, જો કોંગ્રેસની ફરિયાદ નહીં લેવામાં આવે તે 6 તારીખના રોજ ગુજરાતમાં જેલભરો આંદોલન કરવામાં આવશે.

