રાષ્ટ્રપતિ દ્રૌપદી મુમુર્ચે 18મી લોકસભાને સંબોધિત કરતા દેશના વડીલો માટે સમાચાર આપ્યા છે. જેમાં 70 વર્ષની વય વટાવી ચૂકેલા તમામ વૃદ્ધોની સારવાર મફત કરવામાં આવશે. મેનિફેસ્ટો બહાર પાડતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રપતિ મુર્મુએ ‘MY Bharat’નો પણ ઉલ્લેખ કર્યો હતો આ અભિયાનમાં 1.5 કરોડથી વધુ યુવાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

