પીએમ મોદીએ બુધવારે રાજયસભામાં સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ આપ અને કોંગ્રેસ પર પ્રહારો કરતા જણાવ્યું કે, જે લોકો કૌભાંડ કરી રહ્યા છે તે તમામ લોકો હાલ જેલ ભેગા થઈ રહ્યા છે અને તપાસ એજન્સીઓ પર સવાલો ઉભા કરી રહ્યા છે. આપ કૌભાંડ કરે અને કોંગ્રેસ ફરિયાદ કરે છે જો કાર્યવાહી થાય તો તમામ દોષ મોદી પર ઠાલવે છે. હવે આવા લોકો મિત્ર બની જનતાને છેતરી રહ્યા છે.

