આઈપીસી હેઠળ અંગ્રેજો દ્વારા બનાવવામાં આવેલા કાયદા આજથી ખતમ થઈ ગયા છે. તેમની જગ્યાએ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. તેમાં ભારતીય નાગરિક સંહિતા (BNS) 2023, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા (BNSS) 2023 અને ભારતીય પુરાવા અધિનિયમ (BSA) 2023નો સમાવેશ થાય છે. નવા ફોજદારી કાયદામાં તપાસ, ટ્રાયલ અને કોર્ટની કાર્યવાહીમાં ટેક્નોલોજીના ઉપયોગ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

