અમદાવાદ, 12 જૂનઃ Vijay Rupani dies: આજે બપોરે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ થયું છે. 12 જૂનના રોજ અમદાવાદમાં ટેકઓફ થયા પછી તરત જ ફ્લાઇટ AI-171 ક્રેશ થઈ ગઈ હતી. વિમાનમાં સવાર 242 મુસાફરોમાં રૂપાણીનો પણ સમાવેશ થતો હતો. અહેવાલો સૂચવે છે કે ફ્લાઇટ મેનિફેસ્ટમાં રૂપાણીનું નામ પેસેન્જર નંબર 12 તરીકે સૂચિબદ્ધ હતું. તેમને Z ક્લાસમાં બુક કરવામાં આવ્યા હતા, જે બિઝનેસ ક્લાસ કેટેગરીમાં આવે છે. ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે પણ વિજય રૂપાણીના નિધનની પુષ્ટિ કરી છે.
C.R. Patil—
Our respected former Chief Minister Vijay Rupani was on the flight.
Tragically, Vijay Rupani is among the victims of this accident.
May his soul rest in peace.#planecrash pic.twitter.com/2CUPeWeODj
— Akash Sharma (@kaidensharmaa) June 12, 2025
ગુજરાતમાં બનેલી દુખદાયક ઘટના અંગે વાત કરતા કેન્દ્રીય મંત્રી અને પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલે કહ્યુ કે આ દુખદ ઘટના છે. પ્લેન ક્રેશમાં અવસાન પામેલા મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના. આ સાથે તેમણે કહ્યુ કે ભાજપ પરિવાર માટે મોટો આંચકો છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થવું તે ગુજરાત ભૂલી શકે નહીં. ભગવાન દિવંગત આત્માઓને શાંતિ આપે તેી પ્રાર્થના કરીએ છીએ.
બોઇંગ 787 ડ્રીમલાઇનર દ્વારા સંચાલિત લંડન જતી ફ્લાઇટ મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ હતી જે એરપોર્ટથી દૂર રહેણાંક વિસ્તાર છે.
આ પણ વાંચોઃ Robbery case: ન્યુ- જર્સીના ઇસલિનમાં વિરાણી જ્વેલર્સમાં “તોડફોડ અને લૂંટ” થઈ- જુઓ વીડિયો
વિમાન અમદાવાદથી બપોરે 1:38 વાગ્યે ઉડાન ભરી હતી અને ઉડાન ભર્યાના માત્ર પાંચ મિનિટ પછી જ ક્રેશ થયું હતું. ફ્લાઇટ લંડન ગેટવિક જઈ રહી હતી અને કેપ્ટન સુમિત સભરવાલ દ્વારા તેનું પાયલોટ કરવામાં આવી રહ્યું હતું, જેમાં ક્લાઈવ કુંદર સહ-પાયલોટ હતા.
અમદાવાદથી લંડન જવાનું એર ઇન્ડિયા વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાનમાં 230 મુસાફરો સહિત 242 લોકો હતા. ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે.
Former CM Vijay Rupani has been declared dead in plane crash
Om Shanti pic.twitter.com/cZU6TLbE76
— The Jaipur Dialogues (@JaipurDialogues) June 12, 2025
અમદાવાદથી લંડન જવાનું એર ઇન્ડિયા વિમાન ટેકઓફ પછી તરત જ ક્રેશ થયું હતું. વિમાનમાં ક્રૂ સભ્યો સહિત 242 લોકો હતા. રાહત અને બચાવ ટીમો કે જેઓ અકસ્માત પછી તરત જ સ્થળ પર પહોંચી હતી, તે બચાવ કામ શરૂ કરી દીધી છે. ભૂતપૂર્વ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી પણ વિમાન ક્રેશ થયા તે વિમાનમાં સવાર હતા. વિજય રૂપાણી લંડન જઇ રહ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, વિજયભાઈ રમણીકલાલભાઈ રૂપાણી ભાજપના વરિષ્ઠ નેતા હતા. તેમણે 2016 થી 2021 સુધી ગુજરાતના 16મા મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી, અને સતત બે ટર્મ સુધી આ પદ સંભાળ્યું હતું. તેઓ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય પણ હતા. રૂપાણીના પરિવારમાં તેમની પત્ની અને બે બાળકો છે.

