બિઝનેસ ડેસ્ક, 28 ઓક્ટોબરઃ TRAI New Rule: ટ્રાઈએ તાજેતરમાં ટેલિકોમ નિયમોમાં ફેરફાર કર્યો હતો. ટ્રાઈ દ્વારા આ નિયમો મુખ્યત્વે ફેક અને સ્પામ કોલને રોકવા માટે લાવવામાં આવ્યા છે. TRAI દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારો 1 નવેમ્બરથી દેશભરમાં લાગુ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, જો તમે Jio, Airtel, Vi અથવા BSNL જેવા કોઈપણ ઓપરેટરના ગ્રાહક છો. તો તમારા કામના સમાચાર છે.
તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ ટ્રાઈએ ટેલિકોમ કંપનીઓને મેસેજ ટ્રેસિબિલિટી લાગુ કરવા સૂચના આપી હતી. આ માટે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા 1 નવેમ્બરની તારીખ નક્કી કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં હવે એવી અપેક્ષા રાખવામાં આવે છે કે નવા ટેલિકોમ નિયમો લગભગ એક અઠવાડિયા પછી અમલમાં આવશે.
આ પણ વાંચોઃ Coffee Face Pack: કોફીમાં આ વસ્તુઓ મિક્સ કરવાથી જ ચહેરા પર આવશે નેચરલ ગ્લો- આજે જ ટ્રાય કરો
જો તમે નથી જાણતા કે મેસેજ ટ્રેસેબિલિટી શું છે, તો તમને જણાવી દઈએ કે આ એક એવી સિસ્ટમ છે જેમાં મોબાઈલ ફોનમાં આવતા તમામ ફેક કોલ અને મેસેજને રોકવા માટે કામ કરવામાં આવશે. 1 નવેમ્બર, 2024 થી, તમારા ફોન પર આવતા નકલી અને સ્પામ કૉલ્સનું મોનિટરિંગ વધશે. ટ્રાઈના આ નવા નિયમથી ફેક કોલને સમજવા અને ટ્રેક કરવાનું સરળ બનશે.
તમને જણાવી દઈએ કે ટ્રાઈએ ઓગસ્ટ મહિનામાં તમામ ટેલિકોમ ઓપરેટરોને સૂચના આપી હતી. ટ્રાઈએ કહ્યું હતું કે બેંકો, ઈ-કોમર્સ તેમજ નાણાકીય સંસ્થાઓ તરફથી આવતા આવા તમામ સંદેશાઓ જે ટેલીમાર્કેટિંગ અથવા કોઈપણ પ્રકારના પ્રમોશનથી સંબંધિત છે તેને બ્લોક કરી દેવા જોઈએ. ટ્રાઈએ પોતાના નિર્દેશોમાં કહ્યું છે કે ટેલીમાર્કેટિંગ મેસેજ અને કોલનું એક નિશ્ચિત ફોર્મેટ હોવું જોઈએ જેથી કરીને યુઝર્સ તેનાથી સંબંધિત કોલને ઓળખી શકે.
આ પણ વાંચોઃ Rama Ekadashi 2024: આજે રમા એકાદશી, આર્થિક તંગીમાંથી છુટકારો મેળવવા કરો આ ઉપાય

