નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ Shivraj Patil Died: કોંગ્રેસના કદાવર નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી શિવરાજ પાટિલનું શુક્રવારે લાતૂરમાં 90 વર્ષની વયે નિધન થઇ ગયું. તેમણે સવારે લગભગ 6:30 વાગ્યે તેમના ઘરે અંતિમ શ્વાસ લીધા. તે લાંબા સમયથી બીમાર હતા અને ઘરે જ તેમની સારવાર ચાલી રહી હતી.
શિવરાજ પાટિલે તેમની લાંબી રાજકીય કારકિર્દીમાં અનેક મહત્ત્વના પદો સંભાળ્યા હતા જેમાં તે લોકસભા સ્પીકર અને કેન્દ્રીય કેબિનેટમાં અનેક મહત્ત્વપૂર્ણ પદો સંભાળી ચૂક્યા હતા. પાટિલ લાતૂર લોકસભા બેઠકથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.
STORY | Former Union minister Shivraj Patil passes away
Senior Congress leader and former Union Home Minister Shivraj Patil passed away at his home town Latur in Maharashtra on Friday.
Patil, 90, passed away at his residence after a brief illness, family sources said.
READ:… pic.twitter.com/WkQhlQOMmc
— Press Trust of India (@PTI_News) December 12, 2025
તેમના નિધન બાદ સમગ્ર મહારાષ્ટ્ર અને રાષ્ટ્રીય રાજકારણમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે પાટિલને ભારતીય રાજકારણમાં એક શાંતિ, સંયત અને ખૂબ જ મહેનતી નેતા તરીકે જોવામાં આવતા હતા.
भारत के पूर्व केंद्रीय मंत्री, पूर्व लोकसभा स्पीकर और कांग्रेस के वरिष्ठ नेता श्री शिवराज पाटिल का निधन भारतीय राजनीति के लिए एक दुखद समाचार है।
श्री पाटिल अपने सरल-सहज व्यक्तित्व और राष्ट्रसेवा के लिए हमेशा याद किए जाएंगे।
ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें और शोकाकुल… pic.twitter.com/O2F1i5r4Xb
— Congress (@INCIndia) December 12, 2025
ઉલ્લેખનીય છે કે, શિવરાજ પાટિલ 1991 થી 1996 સુધી લોકસભા સ્પીકર રહ્યા. 2004ની ચૂંટણી હાર્યા બાદ તેમને કેન્દ્રમાં ગૃહમંત્રી બનાવાયા હતા. પણ 2008ના મુંબઈ આતંકી હુમલા બાદ તેમણે નૈતિક જવાબદારી સ્વીકારતા રાજીનામું આપી દીધું હતું. પછી તેમને પંજાબના ગવર્નર અને ચંડીગઢના વહીવટી અધિકારી બનાવાયા હતા જ્યાં તેમણે 2010 થી 2015 સુધી સેવા આપી હતી.

