Accident

Prayagraj Road Accident: પ્રયાગરાજાના માર્ગમાં બસ અને બોલેરો વચ્ચે ભયાનક અકસ્માત થતા 10 લોકોના મોત નીપજ્યા- 19 લોકો ઘાયલ

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ Prayagraj Road Accident: મિર્ઝાપુર હાઇવે પર બસ અને બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં 10 લોકોના મોત થયા છે અને 19 લોકો ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસે મૃતદેહોને પોતાના કબજામાં લઈ લીધા છે. તેમજ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓ સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બોલેરોનો અકસ્માત થયો.

આ પણ વાંચોઃ Britain Action: અમેરિકા બાદ હવે બ્રિટન એક્શન મોડમાં, 19 હજાર પ્રવાસીઓને ઘરભેગા કરી દીધા

મળતી માહિતી મુજબ, આ ભયાનક માર્ગ અકસ્માત શુક્રવારે મોડી રાત્રે મેજાના પ્રયાગરાજ-મિર્ઝાપુર હાઇવે પર થયો હતો. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓથી ભરેલી બોલેરો અને બસ વચ્ચે સામસામે ટક્કર થઈ છે. આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા તમામ 10 શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

બોલેરોમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ છત્તીસગઢના કોરબા જિલ્લાના રહેવાસી હતા. આ લોકો સંગમ સ્નાન માટે મેળા વિસ્તારમાં આવી રહ્યા હતા. આ અકસ્માતમાં, સંગમમાં સ્નાન કરીને વારાણસી જઈ રહેલી બસમાં મુસાફરી કરી રહેલા 19 શ્રદ્ધાળુઓ પણ ઘાયલ થયા હતા. બધા ઘાયલોને સીએચસી રામનગરમાં દાખલ કરવામાં આવ્યા છે. બસમાં મુસાફરી કરી રહેલા બધા શ્રદ્ધાળુઓ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના રહેવાસી છે.

આ પણ વાંચો: Weather forecast: ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો, પવનની દિશા બદલાતા બેવડી ઋતુનો થશે અનુભવ- વાંચો વિગત