બોલિવુડ ડેસ્ક, 01 જુલાઇઃ Paresh Rawal In Hera Pheri 3: પરેશ રાવલે “હેરા ફેરી 3” ફિલ્મમાં બાબુ ભૈયાના આઇકોનિક પાત્રમાં ધમાકેદાર વાપસી કરી છે, જેની પુષ્ટિ તેમણે જાતે કરી છે. આ ફિલ્મના ચાહકો માટે આ ખૂબ જ આનંદના સમાચાર છે. અગાઉ પરેશ રાવલે ફિલ્મ છોડવાની જાહેરાત કરી હતી, જેના કારણે ચાહકો નિરાશ થયા હતા અને અક્ષય કુમારની ટીમે તેમની સામે 25 કરોડનો દાવો દાખલ કર્યો હતો. આ વિવાદનું મુખ્ય કારણ સ્ક્રિપ્ટ, સ્ટોરી અને લાંબા ગાળાના કરારનો અભાવ હતો, જે પરેશ રાવલ માટે જરૂરી હતો.
જોકે, તાજેતરમાં પરેશ રાવલે બોલિવૂડ હંગામા સાથેના પોડકાસ્ટમાં જણાવ્યું કે, અક્ષય કુમાર સાથેના તમામ મતભેદો ઉકેલાઈ ગયા છે અને તેઓ ફિલ્મમાં પાછા ફર્યા છે. તેમણે કહ્યું, “ખરેખર કોઈ વિવાદ નથી. જ્યારે કોઈ પ્રોજેક્ટ દર્શકોને આટલો ગમતો હોય, ત્યારે તેને વધુ કાળજીપૂર્વક હેન્ડલ કરવાની જરૂર છે.” આ ફિલ્મનું દિગ્દર્શન પ્રિયદર્શન કરશે, જેમણે પહેલા ભાગનું પણ દિગ્દર્શન કર્યું હતું.
🚨 Paresh Rawal back in Hera pheri 3 🚨
All Issues are now Resolved for Hera Pheri 3
~ Paresh Rawal on Hera Pheri 3 film🔥 pic.twitter.com/JJozKPMEqx— Jeet (@JeetN25) June 29, 2025
પરેશ રાવલે દર્શકોને ખુશખબર આપી છે કે તેઓ હેરાફેરી 3 માં હશે. તેમણે હિમાંશુ મહેતાના પોડકાસ્ટમાં આ માહિતી શેર કરી છે. હવેના સમયમાં ફિલ્મો ચાલી રહી નથી તેનું કારણે જણાવતા તેમણે કહ્યું, ‘આપણે ખોટો વિષય પસંદ કરીએ છીએ. ઉપરાંત, OTT એ લોકોને લોકડાઉનમાં બે વર્ષનો આનંદ માણવા દીધો. આનાથી દર્શકોનો સ્વાદ બદલાઈ ગયો અને નિર્માતાઓ આને યોગ્ય રીતે સમજી શક્યા નહીં. જનતા ઘણી આગળ વધી ગઈ છે. કેટલીક કોમર્શિયલ ફિલ્મો ચાલી શકે છે પરંતુ જો તમે એક જ પ્રકારની ફિલ્મો કરતા રહેશો, તો તમે ખરાબ રીતે નિષ્ફળ જશો. હું એમ નથી કહેતો કે કોમર્શિયલ ફિલ્મો ન બનાવવી જોઈએ પરંતુ તેને બનાવવામાં ઘણી મહેનત કરવી જોઈએ. એવું નથી કે તમારે થોકમટ્ટી કરવી જોઈએ.’
આ પણ વાંચોઃ Rain Forcast: રાજ્યમાં હવે વરસાદી માહોલ યથાવત રહેશે, જાણો આ તારીખ સુધીમાં કયા જિલ્લામાં પડશે ભારે વરસાદ?
ટિકિટના વધેલા દરો પર ગુસ્સો પરેશ આગળ કહે છે, ‘હવે સ્ટારડમ મર્યાદિત રહેશે. તે લાંબો સમય ટકશે નહીં. હવે દર શુક્રવારે સ્ટાર બદલાય છે.’ પરેશ રાવલે ટિકિટના વધેલા ભાવ માટે પણ દોષ આપ્યો. તેમણે કહ્યું, ‘દક્ષિણમાં એક સ્લેબ નક્કી છે. કિંમત 160-200 રૂપિયા છે, તે આનાથી વધુ ચાલી શકતી નથી.’ જો આનાથી વધુ દર વધે તો ફિલ્મ ચાલશે નહીં. જો સામાન્ય લોકો તમારી ફિલ્મને નકારી રહ્યા હોય અને ફક્ત શ્રીમંત વર્ગ જ તેના વખાણ કરી રહ્યો હોય, તો તે ખોટું છે.’
#PareshRawal clears the air on #HeraPheri3, confirming his return as the iconic Baburao.
Read more: https://t.co/877lX6mez9#AkshayKumar #SuneilShetty pic.twitter.com/w5qAuIPgE1
— Filmfare (@filmfare) June 30, 2025
પરેશ રાવલે મલ્ટિપ્લેક્સમાં રિક્લાઇન સીટ પર ફિલ્મો જોનારાઓ પર પણ ગુસ્સો વ્યક્ત કર્યો. તેમણે કહ્યું, ‘તમે બેસીને ફિલ્મો જુઓ છો, તમે તેને સૂઈને જોઈ શકતા નથી. તમે સ્પા માટે નથી આવ્યા, તમે ફિલ્મ જોવા આવ્યા છો. વચ્ચે વેઈટરો આવતા રહે છે, આપણે કહેવું પડે છે, ‘એક બાજુ ખસી જાઓ’. અરે, આ ફિલ્મ છે, લગ્ન નહીં. આ બધી ગંદકી, ગોલ્ડ ક્લાસ વગેરેને કારણે, તમને સિનેમા હોલમાં જવાનું મન નથી થતું.’
પરેશ રાવલ કહે છે, ‘સીટ પર આરામથી બેસવામાં કોઈ વાંધો નથી, પણ ઓશીકું રાખીને કેમ સૂઈ જાઓ? જો તમારે આ રીતે બેસવું હોય, તો સ્પામાં જાઓ અથવા મુજરા જુઓ. જો મધ્યમ વર્ગના પરિવારના ૫-૬ લોકો ફિલ્મ જોવા જાય, તો તેઓ ૫૦૦૦ થી ૬૦૦૦ રૂપિયા ખર્ચ કરે છે. ફિલ્મ જોવાની મજા આવશે તેની પણ કોઈ ગેરંટી નથી.

