નવી દિલ્હી, 31 જુલાઇઃ Malegaon Blast Case: મુંબઈની સ્પેશિયલ NIA કોર્ટે 17 વર્ષ જૂના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના કુલ 7 આરોપીઓ ભાજપના પૂર્વ સાંસદ સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ પ્રસાદ પુરોહિત, નિવૃત્ત મેજર રમેશ ઉપાધ્યાય, સુધાકર ચતુર્વેદી, અજય રાહિરકર, સુધાકર ધર દ્વિવેદી અને સમીર કુલકર્ણી છે. તમામને આરોપીઓને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA), શસ્ત્ર અધિનિયમ અને અન્ય આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.
मालेगांव विस्फोट मामले में साध्वी प्रज्ञा सहित सभी आरोपी 17 साल बाद बरी#malegaonblastcase #NIA #Mumbai pic.twitter.com/Tdx5XLzU1D
— डीडी न्यूज़ (@DDNewsHindi) July 31, 2025
આ પણ વાંચોઃ 8th pay commission: કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વની વાત, સંસદમાં સરકારે 8મા પગાર પંચ આપી વિશે જાણકારી
સુનાવણી કરતી વખતે જજે જણાવ્યું હતું કે, ફરિયાદી પક્ષ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું છે કે, બ્લાસ્ટ દરમિયાન બોમ્બ બાઈક પર ફિટ કરવામાં આવ્યો હતો. મોટરસાયકલનો ચેસિસ નંબર ભૂસાઈ ગયો છે, તેમજ એન્જિન નંબર પણ શંકા હેઠળ છે. જેથી સાધ્વી પ્રજ્ઞા તેના માલિક કે કેમ તેનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. બીજી બાજુ બ્લાસ્ટમાં વપરાયેલા આરડીએક્સનો લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતના ઘરમાં સંગ્રહ કરવામાં આવ્યો હોવાના પણ કોઈ પુરાવા મળ્યા નથી.
सत्यमेव जयते…..
मालेगांव ब्लास्ट केस – साध्वी प्रज्ञा जी सहित सातों आरोपियों को कोर्ट ने बरी किया,
आतंकवाद भगवा न कभी था, ना है, ना रहेगा
भगवा आतंकवाद का नरेटिव गड़ने वाली कांग्रेस को मिला करारा जवाब….#MalegaonVerdict #malegaonblastcase pic.twitter.com/0cvsWuPwsf
— आलोक तिवारी (@AlokTiwari9335) July 31, 2025
ઉલ્લેખનીય છે કે 29 સપ્ટેમ્બર 2008ના રોજ માલેગાંવમાં બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 6 લોકોના મોત અને 100થી વધુ લોકો ઘાયલ થયા હતા. મહારાષ્ટ્ર પોલીસના ATS (એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ)એ શરૂઆતમાં આ કેસની તપાસ કરી હતી, ત્યારબાદ તે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)ને સોંપવામાં આવ્યો હતો. આ કેસમાં ચાલી રહેલી લાંબી કાનૂની પ્રક્રિયા અને આરોપોને કારણે આ ચુકાદો અત્યંત મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
આ પણ વાંચોઃ New UPI Rules: આ તારીખથી થશે UPIમાં મોટા ફેરફાર, વાંચી લો આ કામની વાત

