હેલ્થ ડેસ્ક, 13 ડિસેમ્બરઃ Insulin Inhaler for Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ સુગર કંટ્રોલમાં રાખવા માટે ઈન્જેક્શન દ્વારા ઈન્સ્યુલિન લેવું પડે છે. પરંતુ, હવે આ દર્દીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવેથી ડાયાબિટીસના દર્દીઓ ઇન્હેલર મારફતે પણ ઇન્સ્યુલિન લઈ શકશે. દવા બનાવતી કંપની સિપ્લાએ બુધવારે જણાવ્યું હતું કે, ભારતીય નિયમનકાર સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (CDSCO)એ તેને દેશમાં ઇન્હેલ્ડ ઇન્સ્યુલિનનું વિતરણ અને માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે.
ડાયાબિટીસના દર્દીઓ હવે ઇન્હેલર મારફતે ઈન્સ્યુલિન લઈ શકશે. દવા નિર્માતા કંપની સિપ્લાએ જણાવ્યું હતું કે, CDSCO એ તેને દેશમાં ઇન્હેલ્ડ ઇન્સ્યુલિનનું વિતરણ અને માર્કેટિંગ કરવાની મંજૂરી આપી છે. Afrezza નામનું ઇન્સ્યુલિન જે મેનકાઇન્ડ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવે છે અને તેનું ઉત્પાદન કરે છે. તેનો ઉપયોગ ડાયાબિટીસ મેલાઇટસ ધરાવતા પુખ્ત વયના લોકોમાં ગ્લાયસેમિક નિયંત્રણને સુધારવા માટે કરવામાં આવે છે.
$MNKD and Cipla Ltd. announced today that the Central Drugs Standard Control Organisation (CDSCO) in India has approved Afrezza (insulin human) Inhalation Powder in adults.
India has the 2nd highest burden of diabetes worldwide. pic.twitter.com/RnP8r0XAzY— Tanvi Patel (@catalystinvstor) December 11, 2024
આ પણ વાંચોઃ Allu Arjun Arrest: પુષ્પા ફેમ એક્ટર અલ્લુ અર્જુનની ધરપકડ, આ મામલે થશે મોટી કાર્યવાહી- વાંચો વિગત
આ વિશે વધુ માહિતી આપતા કંપનીએ જણાવ્યું હતું કે, ‘અફ્રેઝા એ ઝડપી કાર્ય કરતું ઇન્સ્યુલિન છે જે ઇન્હેલર દ્વારા પહોંચાડવામાં આવે છે. હાલમાં ઇન્સ્યુલિન ઇન્જેક્શનના રૂપમાં આપવામાં આવે છે. અફ્રેઝા, ભોજન પહેલાં લેવામાં આવે છે, તે ફેફસામાં ઝડપથી ઓગળી જાય છે અને લોહીમાં ઝડપથી ઇન્સ્યુલિન પહોંચાડે છે. સિપ્લાનો ઉદ્દેશ્ય તમામ નાગરિકો માટે દવાને સુલભ બનાવવાનો અને લાખો લોકોને તેમના સ્વાસ્થ્યને વધુ સરળતાથી નિયંત્રિત કરવા સક્ષમ બનાવવાનો છે. અફ્રેઝા 12 મિનિટમાં કામ કરવાનું શરૂ કરશે અને ભોજન સાથે સુગરના લેવલમાં જોવા મળતા તીવ્ર વધારાને ઘટાડવામાં મદદ કરશે. Afrezza ની અસર લગભગ બે-ત્રણ કલાક સુધી ચાલે છે અને તેની અસર ઇન્સ્યુલિન જેવી જ છે.’
કંપનીએ જણાવ્યું હતું કે, ‘તે ટાઇપ 1 અને ટાઇપ 2 ડાયાબિટીસ મેલાઇટસના દર્દીઓ માટે વિકસિત પ્રથમ અને એકમાત્ર બિન-ઇન્જેક્ટેબલ ઇન્સ્યુલિન છે. સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ સીઈઓ ઉમંગ વોરાએ જણાવ્યું હતું કે, ‘દિવસમાં ઘણી વખત ઇન્સ્યુલિનના ઇન્જેક્શનની જરૂરિયાતને ઘટાડીને, અમે ડાયાબિટીસથી પીડિત લોકો માટે, ખાસ કરીને જેમને ઇન્જેક્શનની જરૂરિયાતનો સામનો કરવો પડે છે તેમના માટે એક અનુકૂળ ઉપાય પ્રદાન કરી રહ્યા છીએ તેઓ તેમની પરિસ્થિતિને વધુ અસરકારક રીતે સંભાળે છે.’
આ પણ વાંચોઃ One Nation-One Election: ‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ કરાશે બિલ

