Dev Diwali 2025

Dev Diwali 2025: આજે દેવ દિવાળીના દિવસે બન્યો દુર્લભ સંયોગ, આ રાશિના જાતકોને થશે ધન લાભ થવાની શક્યતા

ધર્મ ડેસ્ક, 05 નવેમ્બરઃ Dev Diwali 2025: દેવ દિવાળી 5 નવેમ્બર 2025, બુધવારના રોજ ઉજવવામાં આવશે. પંચાગ પ્રમાણે દેવ દિવાળી કાર્તિક મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર દેવ દીપાવલી, ત્રિપુરારી પૂર્ણિમા અને કાર્તિક પૂર્ણિમા જેવા અન્ય નામોથી પણ ઓળખાય છે. આ મહાપર્વ પર ભગવાન શિવ અને ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

જ્યોતિષીઓના દૃષ્ટિકોણથી આ વર્ષની દેવ દિવાળી ખૂબ જ ખાસ માનવામાં આવી રહી છે, કારણ કે આ દિવસે ચંદ્ર મેષ રાશિમાં બિરાજમાન રહેશે. શનિ મીન રાશિમાં વક્રી રહેશે. ગુરુ પોતાની ઉચ્ચ રાશિમાં રહીને હંસરાજયોગનું નિર્માણ કરી રહ્યો છે. શુક્ર પણ પોતાની રાશિ તુલામાં રહેશે. રાહુ કુંભ રાશિમાં રહેશે અને મંગળ વૃશ્ચિક રાશિમાં રહીને રુચક રાજયોગ બનાવશે. સૂર્ય અને શુક્ર તુલા રાશિમાં મળીને શુક્રાદિત્ય યોગ બનાવી રહ્યા છે. આ ઉપરાંત સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગનું પણ નિર્માણ થશે. તો આવો જાણીએ કે દેવ દિવાળી પર બનનારા આ શુભ યોગોને કારણે કઈ રાશિના જાતકોનો સારો ટાઈમ શરૂ થવા જઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Weather Update: ફરી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચો સંપૂર્ણ વિગત

1. મેષ રાશિ
દેવ દિવાળી પર બનવા જઈ રહેલા આ શુભ યોગોથી મેષ રાશિના જાતકોના જીવનમાં ખુશીઓનું આગમન થશે. આર્થિક ક્ષેત્રોમાં સકારાત્મક પરિણામો જોવા મળશે. કોઈ નવા કાર્યની શરૂઆત કરશો. પ્રોપર્ટી અને રોકાણના મામલાઓમાં પણ ફાયદો થશે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ પૂર્ણ થશે અને નાણાકીય સ્થિતિમાં સુધારો થશે. જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ અનુકૂળ છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે, અને કોઈ સારા સમાચાર મળી શકે છે.

2. વૃશ્ચિક રાશિ
દેવ દિવાળી વૃશ્ચિક રાશિના જાતકોના કરિયરમાં નવી ચમક લઈને આવશે. ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે અને પ્રમોશનના યોગ બની રહ્યા છે. વ્યવસાયમાં વિસ્તારની પ્રબળ શક્યતાઓ છે. આત્મવિશ્વાસ વધશે અને તમારી સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. ઘર-પરિવારમાં પણ કોઈ શુભ કાર્ય સંપન્ન થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે. કરિયરમાં પ્રગતિ માટે નવી તકો મળશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લોકો માટે આ ખૂબ જ શુભ સમય છે. માતા-પિતાના આશીર્વાદ મળશે.

આ પણ વાંચોઃ Women World Cup 2025: વર્લ્ડ કપ જીત્યા બાદ પણ ભારતીય ટીમ પાસેથી ટ્રોફી પાછી લઈ લેવાશે, જાણો કારણ?

3. કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો પર આ દેવ દિવાળી પર માતા લક્ષ્મીના આશીર્વાદ રહેશે. અચાનક ધન લાભ અને સંપત્તિમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અથવા સન્માન મળી શકે છે. પરિવારમાં પ્રેમ વધશે અને તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયો ભવિષ્યમાં ખૂબ લાભદાયી સાબિત થશે. નાણાકીય સ્થિરતા પ્રાપ્ત થશે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો ઉકેલ આવી શકે છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી પંચાંગો/ ઉપદેશો/ ધાર્મિક માન્યતાઓ/જ્યોતિષીઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.